બેંગ્લોરના એર શોના પાર્કિંગમાં લાગી આગ, 100 જેટલી કારો ખાક
Updated: Feb 23rd, 2019
નવી દિલ્હી,તા.23.ફેબ્રુઆરી 2019, શનિવાર
બેંગ્લુરુમાં યોજાઈ રહેલા એરો ઈન્ડિયા 2019માં વધુ એક દુર્ઘટના બની છે.
એર શો માટેના પાર્કિગમાં લાગેલી ભીષણ આગની ઝપેટમાં આવીને લગભગ 100 જેટલી કારો બળીને ખાક થઈ ગઈ છે.
આ પહેલા એરો શોના રિહસર્લ દરમિયાન વાયુસેનાની સૂર્ય કિરણ ટીમના બે વિમાનો એકબીજા સાથે ટકારાયા હતા અને તેમાં એક પાયલોટનુ મોત થયુ હતુ.
ફાયરબ્રિગેડના કહેવા પ્રમાણે સૂકા ઘાસ અને હવાના કારણે આગ ઝડપથી પ્રસરી હતી અને મોટી સંખ્યામાં ગાડીઓ આગનો શિકાર બની હતી.ચારે તરફ ધુમાડાના ગોટે ગોટાના કારણે હાલમાં એર શોમાં વિમાનોની ઉડાન રોકી દેવી પડી છે.આકાશ ચોખ્ખુ થયા બાદ એર શો ફરી શરુ થશે.
ફાયર બ્રિગેડ દ્વારા સળગતી કારોને પાર્કિંગમાંથી હટાવવાની પણ કામગીરી કરાઈ રહી છે.જેથી બીજી કારો પણ તેની ચપેટમાં ના આવે.જોકે આ દુર્ઘટનામાં જાન માલના નુકસાનના અહેવાલો મળ્યા નથી.