For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મિરાજ-2000નો સામનો કરવા હરકતમાં આવેલા પાકના એફ-16ને કરવી પડી પીછેહઠ

Updated: Feb 26th, 2019

નવી દિલ્હી,તા.26.ફેબ્રુઆરી 2019, મંગળવાર

ભારતીય વાયુસેનાના મિરાજ-2000 વિમાનોએ પુલવામા હુમલાનો બદલો લેવા માટે પાકિસ્તાનની અંદર ઘુસીને કરેલી એર સ્ટ્રાઈકથી પાકિસ્તાનમાં હડકંપ આવી ગયો છે.

ન્યૂઝ એજન્સીના કહેવા પ્રમાણે 21 મિનિટ સુધી મિરાજ 2000 વિમાનો પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરમાં ઘુસીને બોમ્બમારો કરી રહ્યા હતા ત્યારે પાકિસ્તાની વાયુસેનાના એફ 16 હરકતમાં આવી ગયા હતા. જોકે મિરાજ 2000 વિમાનોનુ ફોર્મેશન જોઈને એફ-16ને પીછેહઠ કરવી પડી હતી.

ઉલ્લેખનીય છે કે મિરાજ-2000 વિમાનો બોમ્બમારો કરીને સફળતાપૂર્વક પોતાના એરબેઝ પર પાછા ફર્યા છે.12 વિમાનો પાકિસ્તાન પર આક્રમણ કરવા ઉડ્યા હતા.જેમાંથી એક પણ વિમાનને કશું નુકસાન થયુ નથી.

Gujarat