રાજસ્થાનમાં ગુર્જરોના દેખાવો આઠમા દિવસે પણ યથાવત
Updated: Feb 16th, 2019
(પીટીઆઇ) જયપુર, તા. 15 ફેબ્રુઆરી, 2019, શુક્રવાર
પાંચ ટકા રિઝર્વેશન આપવા અંગે રાજ્ય સરકારે નોટિફિકેશન જારી કર્યુ હોવા છતાં ગુર્જર સમુદાયના સભ્યોએ આજે પણ દેખાવો ચાલુ રાખ્યા હતાં. તેમના દેખાવોનોે આજે સળંગ આઠમો દિવસ હતો. દેખાવો સમાપ્ત કરવા માટે રાજ્યના પ્રવાસન પ્રધાન વિશવેન્દ્ર સિંહ ગુર્જર સમુદાયના સભ્યો સાથે ચર્ચા કરી રહ્યાં છે. ગુર્જર સમુદાયના લોકોએ રસ્તાઓ અને રેલવેના પાટાઓ બ્લોક કરી દેતા છેલ્લા સાત દિવસથી સામાન્ય લોકોને રોજિંદી અવરજવરમાં મુશ્કેલી થઇ રહી છે.
Gujarat