શહીદો પર જજે કરી આવી વિવાદાસ્પદ ટિપ્પણી અને ભડકી ઉઠયા લોકો, વાંચો
Updated: Feb 16th, 2019
જયપુર,તા.16.ફેબ્રુઆરી 2019, શનિવાર
પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોના માનમાં દેશભરમાં ઠેર ઠેર પ્રાર્થના સભા અને શોકસભાનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે ત્યારે રાજસ્થાનના એક જજે શહીદો પર કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી પર આખા રાજ્યમાં રોષ ભઢકી ઉઠ્યો છે.
સિરોહી શહેરની સ્પેશ્યલ કોર્ટના જજ રાજેશ નારાયણ શર્મા અંગે સ્થાનિક અખબારમાં પ્રકાશિત થયેલા અહેવાલ પ્રમાણે કોર્ટમાં શોકસભા યોજાઈ હતી.જેમાં તેમને હાજર રહેવા માટે કહેવામાં આવ્યુ ત્યારે જજ શર્માએ કહ્યુ હતુ કે એવા તો કેટલાય મરતા રહે છે, કોનો કોનો શોક મનાવીશું હું?મારે કોઈનો શોક નથી, હું નહી આવું.
એ પછી જજની બદલી કરવા માટે રાજ્યના મુખ્ય સચિવ, ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશને પત્ર લખીને માંગ કરવામાં આવી છે.
Gujarat