ઉત્તર પ્રદેશમાં અંતિમ ક્રિયા વખતે વિજળી પડતાં છ ડાઘુઓના મોત
Updated: Feb 16th, 2019
(પીટીઆઇ) હરદોઇ, તા. 15 ફેબ્રુઆરી, 2019, શુક્રવાર
ઉત્તર પ્રદેશના જિલ્લામાં જસમઇ મનસુરપુર ગામમાં આજે વિજળી ત્રાટકતાં છ લોકો માર્યા ગયા હતા.ગુજરી ગયેલા એક શખસની અંતિમ ક્રિયા માટે આજે કેટલાક લોકો ભેગા થયા હતા ત્યારે અચાનક વિજળી ત્રાટકતાં આ ઘટના બની હતી. માર્યા ગયેલાઓને મની અવસ્થી, શિવમ,રવિન્દ્ર, જીગની, સિયારામ અને ફાતમી તરીકે ઓળખવામાં આવ્યા હતા.
તમામના મૃત્યુદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયા હતા. બે છોકરાઓ સહિત ત્રણ જણા બરેલી અને જાલોન જિલ્લામાં માર્યા ગયા હતા.
Gujarat