શંકરાચાર્યે 21મી ફેબ્રુઆરીએ અયોધ્યામાં શિલાન્યાસ સ્થગિત કર્યો
- પૂલવામા હુમલાને કારણે
Updated: Feb 17th, 2019
(પીટીઆઇ) નવી દિલ્હી, તા.17 ફેબ્રુઆરી, 2019, રવિવાર
પૂલવામા હુમલાને કારણે દેશભરમાં શોક છવાયેલો છે ત્યારે દ્વારકાના શારદાપીઠ શંકરાચાર્ય સ્વરૃપાનંદ સરસ્વતીએ રામ જન્મભૂમિ રામાગ્રહ યાત્રા અને શિલાન્યાસનો કાર્યક્રમ સ્થગિત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે કુંભ મેળામાં શંકરાચાર્યે યોજેલી ધર્મ સંસદમાં ૨૧મી ફેબુ્રઆરીએ અયોધ્યામાં કૂચ કરી શિલાન્યાસ કરવાનું જાહેર કર્યું હતું. અને દરેક સાધુ સંતોને રામાગ્રહ યાત્રામાં જોડાઇ અયોધ્યા પહોંચવા આહ્વાન કર્યું હતું.
શંકરાચાર્ય પોતે પણ યાત્રામાં સામેલ થવાના હતા. પરંતુ હાલમાં બિમાર છે, તેમ છતાં તેઓ યાત્રા માટે મક્કમ હતા પરંતુ હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ અખાડા પરિષદ અને મુખ્યમંત્રી યોગીની સમજાવટથી તેમણે યાત્રા સ્થગિત કરી હતી. શંકરાચાર્ય સ્વરૃપાનંદ સરસ્વતીના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે શિલાન્યાસ અને રામાગ્રહ યાત્રા જરૃરી હતી પરંતુ દેશમાં હાલની સ્થિતિ જોતાં તે થોડો સમય સ્થગિત કરાશે. હવે પછી નવું મૂહૂર્ત કાઢીને નવી તારીખ જાહેર કરાશે.