શહીદ અશ્વિની કુમારે પિતાને કહ્યુ હતું કે, તિરંગામાં લપેટાઈને પાછો આવીશ
Updated: Feb 16th, 2019
નવી દિલ્હી, તા.16.ફેબ્રુઆરી 2019, શનિવાર
પુલવામા હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનો પૈકી અશ્વિની કુમાર સાથે થયેલી વાતચીત તેના પિતાએ યાદ કરી હતી.
શહીદ અશ્વિની કુમાર મધ્યપ્રદેશના જબલપુરના રહેવાસી છે.આજે જ્યારે તેમનો પાર્થિવ દેહ જબલપુર પહોંચ્યો ત્યારે આખુ ગામ તેમના અંતિમ દર્શન માટે પહોંચ્યુ હતુ.
અશ્વિની કુમારના પિતા સુકરુ પ્રસાદે કહ્યુ હતુ કે મારો પુત્ર તો ચાલ્યો ગયો પણ સરકારે આગળ કાર્યવાહી કરવી જોઈએ.ઈંટનો જવાબ પથ્થરથી આપવો જોઈએ.આપણા ચાર જવાનો મર્યા તો તેમના દસ જવાનો મારીને બદલો લો.
પિતાએ કહ્યુ હતુ કે જ્યારે અશ્વિની સેનામાં જોડાયો ત્યારે મેં કહ્યુ હતુ કે તારો ધર્મ નિભાવજે, પીઠ ના દેખાડતો.તે મને કહેતો હતો કે પિતાજી તિરંગામાં લપેટાઈને આવીશ અ્ને ખરેખર તેના શબ્દો સાચા પડ્યા છે.આજે તે તિરંગામાં લપેટાઈને આવ્યો છે.
અશ્વિની કુમારના ભાઈ કહે છે કે માત્ર મારા ભાઈમાં નહી પણ દેશના દરેક જવાનમાં દેશની સેવા કરવાનૂ ઝનૂન છે પણ સરકારમાં નથી.સરકાર જવાનોની ભરતી બલિદાન આપવા જ કરે છે પણ સમસ્યાના સમાધાન માટે નહી.આ ગામના 40 લોકો સેનામાં છે તેવુ ગ્રામજનોનુ કહેવુ છે.