સુરક્ષાદળોએ કાશ્મીરમાં વધુ એક આતંકીને યમસદન મોકલ્યો
Updated: Feb 22nd, 2019
નવી દિલ્હી,તા.22.ફેબ્રુઆરી 2019, શુક્રવાર
પુલવામા હુમલા બાદ કાશ્મીરમાં આતકંવાદીઓનો સફાયો કરવાનુ અભિયાન સેનાએ વધારે તેજ બનાવ્યુ છે.
સુરક્ષાદળોએ સોપોરમાં આજે એક આતંકવાદીને યમસદન પહોંચાડી દીધો છે.આ એન્કાઉન્ટર ગુરુવાર રાતથી શરુ થયુ હતુ અને હજી પણ ચાલુ જ છે.એવુ મનાઈ રહ્યુ છે કે જે જગ્યાને સુરક્ષાદળોએ ઘેરી લીધી છે ત્યાં બે આતંકવાદી છુપાયા છે અને તેમાંથી એકને ઢાળી દેવાયો છે.
સોપોર વિસ્તારમાં લગભગ 60 જેટલા આતંકવાદીઓ સક્રિય છે અને તેમની સામે અભિયાન છેડવામાં આવ્યુ છે.જેને ઓપરેશન 60 નામ અપાયુ છે.
આ પહેલા શોપિયાં વિસ્તારમાં સેનાના કેમ્પ બહાર શંકાસ્પદ હિલચાલના પગલે જવાનોએ ફાયરિંગ કર્યુ હતુ.ગુરુવારે પૂંછ સરહદે પણ પાકિસ્તાન તરફથી ગોળાબારી થઈ હતી.જેનો ભારતીય સેનાએ આકરો જવાબ આપ્યો હતો.
Gujarat