પુલવામા હુમલા બાદ સાઉદી અરબના પ્રિન્સે પાકિસ્તાન પ્રવાસમાં કર્યો ફેરફાર
Updated: Feb 16th, 2019
નવી દિલ્હી,તા.16.ફેબ્રુઆરી 2019, શનિવાર
પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ સાઉદી અરબના પ્રિન્સ મહોમ્મદ બિન સલમાને પાકિસ્તાનનો પ્રવાસ એક દિવસ માટે ટાળી દીધો છે.
પહેલા પ્રિન્સ સલમાન 16 ફેબ્રુઆરીએ પાકિસ્તાન જવાના હતા હવે તેમની બે દિવસની યાત્રા 17 ફેબ્રુઆરીથી થશે.તેઓ બે દિવસ માટે પાકિસ્તાનમાં રોકાવાના છે.જોકે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી નથી કે પ્રિન્સે એક દિવસ કેમ પ્રવાસ ટાળી દીધો છે.
પાકિસ્તાનના અખબારના કહેવા પ્રમાણે બંને દેશો વચ્ચે મુલાકાતનો જે કાર્યક્રમ નક્કી થયો છે તેમાં કોઈ ફેરફાર નથી.
નોંધનીય છે કે પ્રિન્સની યાત્રામાં ફેરફાર પુલવામા હુમલા બાદ થયો હતો.તેમની આ પહેલી પાકિસ્તાન યાત્રા છે.દુનિયાના બીજા ઘણા દેશોની જેમ સાઉદી અરબે પણ પુલવામા આતંકવાદી હુમલાની નિંદા કરી હતી.
Gujarat