આત્મઘાતી હુમલાખોરે પોતાના અંતિમ સંદેશમાં ભારત માટે કેવુ ઝેર ઓક્યુ..વાંચો
Updated: Feb 15th, 2019
નવી દિલ્હી,તા.15.ફેબ્રુઆરી. 2019, શુક્રવાર
સીઆરપીએફના જવાનો પર આત્મઘાતી હુમલો કરતા પહેલા આતંકવાદી આદિલ મહોમ્મદ દારે એક વિડિયો મુકીને ભારત વિરોધી સંદેશો પણ આપ્યો હતો.વાંચો આ સંદેશ
" હિન્દુસ્તાનના લોકો સાંભળી લે અને જાણી લે કે અમે તમારી સાથે એ રીતે બદલો લઈશું કે જેનો સામનો કરવો તમારા વશની વાત નથી.
અમે પહેલા પણ તમને એવા જખ્મ આપેલા છે જે રુઝાવા અશક્ય છે.ઈન્ડિયન એરલાઈન્સના હાઈજેકિંગથી લઈને તમારી પાર્લામેન્ટ સુધી, બદામી બાગમાં આત્મઘાતી હુમલાથી લઈને નગરોટાના કેમ્પસ સુધી, પઠાણ કોટ એરબેઝથી લઈને પુલવામા પોલીસ લાઈન સુધી, શ્રીનગરમાં બીએસએફ કેમ્પની બરબાદીથી લઈને અમારા સ્નાઈપર્સની ગોળીઓથી વિંધાયેલી તમારી ખોપરીઓ સુધી...આવા બહુ દુસ્વપ્નો છે જે ભવિષ્યમાં પણ તમારી ઉંઘ હરામ કરતા રહેશે.
અમે તમારી સમક્ષ કરગરવાના નથી કે તમે અત્યાચારો બંધ કરી દો અને નહી તમારી પાસે દયાની ભીખ માંગવા માટે હાથ જોડી રહ્યા.ઉલ્ટાનુ તમારા અત્યાચારોના કારણે અમારી જેહાદને વધારે તાકાત મળી રહી છે.અમે તમારી સામે હાથ જોડવાની જગ્યાએ તમારા એ હાથોને જ તોડીને ફેંકી દઈશું જેનાથી તમે ઈસ્લામની ઈમારતનો ધ્વંસ કરવાના નાપાક સ્વપ્ન જોઈ રહ્યા છો.
અમારા માથા પર ઋણ ચુકવવાનુ બાકી હતુ કે અમે જૈશે મહોમ્મ્દનો ઈતિહાસ દોહરાવીને અમારા લોહીથી તમારી ખુશાલીઓને ધૂળમાં મેળવી દઈએ.તમારા ઘરોમાં માતમ ફેલાવી દઈએ.હજી તો મેં તો મેં મારા હિસ્સાનુ ઋણ ચુકવીને મારી કોમનુ માથુ ગર્વથી ઉંચુ કર્યુ છે.મારા જેવા હજારો હજી પણ તમારી તબાહીનો સામાન લઈને તૈયાર બેઠા છે..."