પુલવામા હુમલો: શહિદ જવાનોના પાર્થિવ શરીરને ગૃહમંત્રીએ કાંધ આપીને શ્રદ્ધાંજલી અર્પી
Updated: Feb 15th, 2019
શ્રીનગર, તા. 15 ફેબ્રુઆરી 2019, શુક્રવાર
જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં થયેલા આત્મઘાતી આતંકવાદી હુમલામાં શહીદ થયેલા 40 જવાનોને કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે શ્રદ્ધાંજલી આપી. પુલવામામાં થયેલા આ હુમલાના સ્થળની મુલાકાત પર પહોંચેલા રાજનાથસિંહે પહેલા શહીદોને શ્રદ્ધાંજલી અર્પિત કરી.
આ દરમિયાન તેમની સાથે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક અને સેનાના નોર્થન કમાંડર ચીફ લેફ્ટનેંટ જનરલ રણબીરસિંહ તેમની સાથે હાજર હતા.
Gujarat