રાહુલ ગાંધીએ કહ્યું, આઈ સેલ્યુટ ધ પાયલોટ્સ ઓફ ઈન્ડિયન એરફોર્સ
Updated: Feb 26th, 2019
નવી દિલ્હી,તા.26.ફેબ્રુઆરી 2019, મંગળવાર
પુલવામા હુમલાનો બદલો લેવા માટે પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરમાં ભારતીય વાયુસેનાએ કરેલી સર્જિકલ સ્ટ્રાઈક બાદ કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીએ પહેલી પ્રતિક્રિયા આપી હતી.
રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ હતુ કે હું ભારતીય વાયુસેનાના પાયલોટોને સલામ કરુ છું
કોંગ્રેસના પ્રવક્તા સૂરજેવાલાએ ભારતીય વાયુસેનાના મોટો એટલે કે મુખ્ય સૂત્ર નભઃ સ્પૃશં દિપ્તમ ...ને ક્વોટ કરીને તમામ જાંબાઝ પાયલોટોને અભિનંદન આપ્યા હતા.
કોંગ્રેસી નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યુ હતુ કે બાલાકોટ જે એલઓસીથી બહુ દુર છે અને જો ભારતીય વાયુસેનાએ આટલે દુર સુધી ઘુસીને હુમલો કર્યો હોય તો આ બહુ જ સફળ મિશન છે.
Gujarat