For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દિગ્ગીરાજાએ સિધ્ધુને કહ્યું કે તમારા દોસ્ત ઈમરાનખાનને સમજાવો...

Updated: Feb 19th, 2019

Article Content Imageનવી દિલ્હી, તા. 19. ફેબ્રુઆરી 2019 મંગળવાર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહ નિવેદન આપવા માટે મોઢુ ખોલે અને ચર્ચા ના થાય તેવુ ભાગ્યે જ બનતુ હોય છે.

દિગ્ગીરાજાએ આ વખતે પંજાબ સરકારના મંત્રી અને કોંગી નેતા નવજોતસિંહ સિધ્ધુને શિખામણ આપી છે.તેમણે ટ્વિટ કરીને કહ્યુ છે કે સિધ્ધુ પોતાના દોસ્ત ઈમરાનભાઈ( પાકિસ્તાનના પીએમ)ને સમજાવે કે તમારા કારણે મને ગાળો પડી રહી છે.

દિગ્વિજયસિંહે જોડે જોડે ઈમરાનખાનને સલાહ આપી હતી કે જો ઈમરાનખાન આતંકવાદી હાફિઝ સઈદ અને મસૂદ અઝહરને ભારતને સોંપી દેવાની હિંમત બતાવે છે તો તેનાથી પાકિસ્તાનને નાણાકીય સંકટમાંથી બહાર  નીકળવાની તક મળશે અને સાથે સાથે ઈમરાનખાન શાંતિ માટેના નોબેલ પ્રાઈઝના સૌથી મોટા દાવેદાર બનશે.

Gujarat