જેલમાં બંધ પાક આતંકવાદીઓની નાપાક હરકત, બીજા કેદીઓના ભારત વિરુધ્ધ ઉકસાવે છે
Updated: Feb 22nd, 2019
નવી દિલ્હી,તા.22.ફેબ્રુઆરી 2019, શુક્રવાર
જમ્મુ કાશ્મીર સરકારે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરીને જમ્મુ જેલમાં પૂરાયેલા 7 પાક આતંકવાદીઓને દિલ્હીની તિહાડ જેલમાં ખસેડવા માટે માંગ કરી છે.
જમ્મુ કાશ્મીર સરકારના કહેવા પ્રમાણે આ આતંકીઓ જેલમાં બંધ સ્થાનિક કેદીઓનુ બ્રેનવોશ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.આ અરજી અંગે સુપ્રીમ કોર્ટના બે જજોની બેન્ચે કેન્દ્ર અને દિલ્હી સરકારનો અભિપ્રાય માંગ્યો છે.
સરાકારના પક્ષમાં વકીલે દલીલ કરતા કહ્યુ હતુ કે જો તેમને તિહાડ ના મોકલી શકાય તેમ હોય તો પંજાબ કે હરિયાણાની કોઈ હાઈ સિક્યોરિટી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવે.
એ પછી બેન્ચે કહ્યુ હતુ કે આ મામલા પર કોર્ટ સુનાવણી કરશે અને સરકારના વકીલને સૂચના આપી હતી કે જે કેદીઓને ટ્રાન્સફર કરવાના છે તેમને પણ આ માટેની નોટિસ મોકલવામાં આવે.
Gujarat