આતંકવાદી હુમલા સામે જેલના કેદીઓમાં પણ રોષ, કાશ્મીરી કેદીઓની સુરક્ષા વધારવી પડી
Updated: Feb 16th, 2019
નવી દિલ્હી,તા.16.ફેબ્રુઆરી 2019, શનિવાર
પુલવામા હુમલાથી આખા દેશમાં પાકિસ્તાન સામે અને કાશ્મીરીઓ સામે પણ આક્રોશ છે.કારણકે હુમલો કરનાર આત્મઘાતી આતંકવાદી પણ કાશ્મીરી જ હતો.
લોકોમાં ગુસ્સો છે અને તેમાંથી જેલના કેદીઓ પણ બાકાત નથી.જેના કારણે દિલ્હીની તિહાડ જેલમાં રખાયેલા કાશ્મીરી કેદીઓની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
જેલ સત્તાધીશોને બીક લાગી રહી છે કે હુમલાથી રોષે ભરાયેલા બીજા કેદીઓ આ કાશ્મીરી કેદીઓ પર હુમલો ના કરી બેસે.જોકે જેલ સત્તાધીશોનુ કહેવુ છે કે એમ પણ કાશ્મીરી કેદીઓને બીજા કેદીઓથી અલગ રાખવામાં આવે છે.તેમાં પણ કાશ્મીરી આતંકવાદીઓને.પરંતુ સીઆરપીએફના જવાનો પરના હુમલા બાદ તો તે્મની સુરક્ષા વધારવી પડી છે.
એવુ પણ કહેવાઈ રહ્યુ છે કે કેટલાક કાશ્મીરી કેદીઓને બીજા કેદીઓ સાથેની બેરેકમાં રખાયા હતા.તેમને હવે અલગ કરવામાં આવી રહ્યા છે.જેથી કોઈ સમસ્યા ઉભીના થાય.જેલ સત્તાધીશો એ પણ ધ્યાન રાખી રહ્યા છે કે કાશ્મીરી કેદીઓ હુમલાની તરફેણમાં કોઈ પ્રવૃત્તિ જેલમાં ના કરી બેસે.