પાલમ એરપોર્ટ પર વડાપ્રધાન મોદીએ શહીદોને અર્પી શ્રદ્ધાંજલી
- શહીદ જવાનોના પાર્થિવદેહ શ્રીનગર થી દિલ્હી લાવવામાં આવ્યા
Updated: Feb 15th, 2019
નવી દિલ્હી, તા. 15 ફેબ્રુઆરી 2019, શુક્રવાર
પુલવામામાં CRPFના કાફલા પર થયેલા હુમલામાં શહીદ થયેલા જવાનોના પાર્થિવદેહને શ્રીનગરથી દિલ્હી લાવવામાં આવ્યા. દિલ્હીના પાલમ એરપોર્ટ પર વડાપ્રધાન મોદીએ શહીદોને શ્રદ્ધાંજલી અર્પી. આ સાથે ગૃહમંત્રી રાજનાથસિંહ, રક્ષામંત્રી નિર્મલા સિતારમણ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ઉપસ્થિત રહ્યાં હતા અને તેમણે શહીદોને શ્રદ્ધાંજલી અર્પી હતી.
આ સિવાય આર્મીચીફ જનરલ બિપિન રાવત, નૌસેના સ્ટાફના પ્રમુખ એડમિરલ સુનિલ લાંબા અને વાયુસેનાના પ્રમુખ એરચીફ માર્શલ બી.એસ.ધનોઆ શહીદ જવાનોને શ્રદ્ધાંજલી આપી.
Gujarat