પુરો વિપક્ષ સરકાર અને જવાનો સાથે ઊભો છે: રાહુલ ગાંધી
Updated: Feb 15th, 2019
નવી દિલ્હી, તા. 15 ફેબ્રુઆરી 2019 શુક્રવાર
જમ્મુ કાશ્મીરના પુલવામામાં CRPFના કાફલ પર થયેલા હુમલા પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વિપક્ષ સરકાર અને જવાનો સાથે ઊભી હોવાની વાત કરી છે. તેમણે કહ્યું છે કે, અમે એવો કોઇ સંદેશ નથી આપવા માંગતા જેનાથી લાગે કે અમે એક નથી. આતંકવાદનો ઉદ્દેશ્ય દેશના ભાગલા પાડવાનો છે, પરંતુ અમે તેવું થવા નહી દઇએ.
દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશને તોડવાનું ષડ્યંત્ર સફળ નહી થાય. અમે આ મુદ્દે આપણી સરકાર અને સુરક્ષાદળોની સાથે ઊભા છીએ. આ પ્રશ્નો કરવાનો સમય નથી, અમે સરકાર સાથે ઊભા છીએ. આતંકની આ ઘટનાની હું ટીકા કરું છું. અમારી સંવેદના શહીદ જવાનો અને તેના પરિવારજનો સાથે છે.
Gujarat