PM મોદીએ કુંભમાં ડૂબકી લગાવી, સ્વચ્છતા કર્મચારીઓની પગ ધોઇ સમ્માનિત કર્યા
Updated: Feb 24th, 2019
પ્રયાગરાજ, તા. 24 ફેબ્રુઆરી 2019, રવિવાર
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભમેળામાં વડાપ્રધાન મોદી મોદી પહોંચ્યા છે. અહીં તેમણે સંગમ ઘાટ પર ગંગામાં ડૂબકી લગાવી. બાદમાં તેમણે મંત્રોચ્ચાર વચ્ચે પુજા-પાઠ કર્યાં. આ સાથે જ તેમણે કુંભમેળામાં સફાઇની કામગીરી સંભાળતા સફાઇ કર્મચારીઓના પગ ધોયા. જે બાદ તેઓ અહીં જનસભા પણ સંબોધવાના છે.વડાપ્રધાન મોદી સાથે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ પહોંચ્યા હતા.
લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાનની પ્રયાગરાજ મુલાકાત અને ગંગા સ્નાન ઘણું મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. આ અગાઉ યોગી આદિત્યનાથે અહીં કેબિનેટ મીટિંગ પણ કરી હતી અને તેમની સાથે ઘણાં મંત્રીઓએ અહીં ડૂબકી લગાવી હતી. આ સિવાય ભાજપના અન્ય દિગ્ગજ નેતાઓ પણ અહીં ડૂબકી લગાવી ચૂક્યા છે.
Gujarat