For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

યુધ્ધ કરવાના ભડકાઉ નિવેદનોથી દુર રહેવા ભાજપના નેતાઓને પાર્ટીની તાકીદ

Updated: Feb 16th, 2019

નવી દિલ્હી,તા.16.ફેબ્રુઆરી 2019, શનિવાર

પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભાજપે પોતાના નેતાઓને સંયમ રાખવા માટે તાકીદ કરી છે.પાર્ટીએ નિર્દેશ આપ્ય છે કે નેતાઓ યુધ્ધની વાત બિલકુલ ના કરે અને હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારજનોને મળીને તેમની પીડામાં ભાગીદાર બને.

શુક્રવારે સુરક્ષા મામલાઓ માટેની કેબિનેટ કમિટીની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી અને રક્ષા મંત્રી નિર્મલા સિતારમણે ભાજપના તમામ પ્રવક્તાઓને આ નિર્દેશ આપ્યો હતો.સૂત્રોનુ કહેવુ છે કે જેટલીએ કહ્યુ હતુ કે ભાજપના નેતાઓ યુધ્ધ કરવા માટેના ઉન્માદને ભડકાવનારા અને રાજકીય નિવેદનો આપવાથી દુર રહેશે.

ભાજપના પ્રવક્તાઓને પણ આ મુદ્દા પર બોલતી વખતે સતર્ક રહેવાની સૂચના અપાઈ છે.કોંગ્રેસ પણ આતંકવાદી હુમલા અંગે નિવેદનો આપવા માટે સતર્ક રહેવાનુ વલણ અપનાવી રહી છે ત્યારે ભાજપે પણ આ મુદ્દા પર રાજનીતિ નહી કરવા માટે પોતાના નેતાઓને કહ્યું છે.

Gujarat