For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પુલવામાના શહીદોના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં લાગ્યા પાકિસ્તાન સમર્થનના નારા

Updated: Feb 16th, 2019

Article Content Imageપુણે, તા. 16 ફેબ્રુઆરી 2019, શનિવાર

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થઇ ગયા. હુમલાને પગલે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યાં છે. 

દરમિયાન મહારાષ્ટ્રના પુણેમાં રેલ્વેના એક જૂનિયર ટીકિટ કલેક્ટર પર પાકિસ્તાનના સમર્થનમાં નારેબાજી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. ઘટના સપાટી પર આવ્યા બાદ રેલ્વેએ આરોપી ટીકિટ કલેક્ટરને સસ્પેન્ડ કરી નાખ્યો છે. 

પુણે પોલીસ અનુસાર આરોપી ટીકિટ કલેક્ટરની ઓળખ કુમાર ઉપેન્દ્ર બહાદુર સિંહ તરીકે થઇ છે. ઉપેન્દ્રએ પુલવામામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમમાં પાકિસ્તાનના સમર્થનમાં નારેબાજી કરી. હાલ પોલીસ આરોપી ઉપેન્દ્ર પર 153 બી અંતર્ગત ગુનો નોંધી પુછપરછ કરી રહી છે.

Gujarat