ઓલિમ્પિક કમિટીની ઐસી કી તૈસી, પાક ખેલાડીઓને ભારતે વિઝા ના આપ્યા,
Updated: Feb 22nd, 2019
નવી દિલ્હી,તા.22.ફેબ્રુઆરી 2019, શુક્રવાર
પુલવામા હુમલા બાદ આંતરરાષ્ટ્રિય ઓલિમ્પિક કમિટીની અપીલને પણ ભારત સરકારે નહી ગણકારી મક્કમતાનો પરિચય આપ્યો છે.
ભારત સરકારે ભારતમાં યોજનારા શૂટિંગ વર્લ્ડકપ માટે પાકિસ્તાનના બે ખેલાડીઓને વિઝા આપવાની ના પાડી દીધી છે.એ પછી હવે ઓલિમ્પિક કમિટીએ ભારત સાથે તમામ પ્રકારની વાટાઘાટો બંધ કરી છે અને તમામ આંતરરાષ્ટ્રિય સ્પોર્ટ્સ સંગઠનોને અપીલ કરી છે કે ભારતમાં રમતોનુ આયોજન ના કરે.
આઈઓસીએ તો ભારત પાસે ગેરંટી માંગી છે કે જ્યાં સુધી તે ઓલિમ્પિક ચાર્ટર એટલે કે શરતોનુ પાલન ના કરે ત્યાં સુધી ભારતમાં રમત ગમતોનુ આયોજન નહી થાય.
આઈઓસીનુ કહેવુ છે કે સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે આવી રહેલા ખેલાડીઓને વિઝા નહી આપવા શરતોની વિરુધ્ધ છે.યજમાન દેશ કોઈ પણ ખેલાડી સાથે આવો ભેદભાવ કરી શકે નહી.કમિટીએ ભારત તરફથી આગામી આયોજન માટે કરાયેલી અરજીઓને પણ હાલમાં બાજુ પર મુકી દીધી છે.
હાલમાં દિલ્હીમાં શૂટિંગ વર્લ્ડ કપ ચાલુ છે પણ આ ટુર્નામેન્ટ થકી ઓલિમ્પિકમાં ક્વોલિફાય કરવા માટેનો ક્વોટા રદ કરી દેવાયો છે.આ ટુર્નામેન્ટ થકી 16 ખેલાડીઓ ક્વોલિફાય થઈ શકે તેમ હતા.
આ પહેલા પાકના બે ખેલાડીઓ જીએમ બશીર અને ખલીલ અહેમદને સરકારે વિઝા આપ્યા હોવાના અહેવાલો હતા પણ હવે બહાર આવ્યુ છે કે સરકારે મક્કમ વલણ અપનાવીને તેમને વિઝા આપ્યા નથી.