ન્યૂઝીલેન્ડની સંસદમાં પુલવામા આતંકવાદી હુમલાની નિંદા કરતો પ્રસ્તાવ પસાર કરાયો
Updated: Feb 20th, 2019
નવી દિલ્હી,તા.20.ફેબ્રુઆરી 2019, બુધવાર
જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના શહીદ જવાનો પર થયેલા આતંકવાદી હૂમલા બાદ આખી દુનિયામાં પાકિસ્તાન પર ફિટકાર વરસી રહ્યો છે.જેમાં ન્યૂઝીલેન્ડ પણ જોડાયુ છે.
ન્યૂઝીલેન્ડની સંસદે પુલવામા આતંકવાદી હુમલાની નિંદા કરતો પ્રસ્તાવ પસાર કર્યો છે.આ વાતની જાણકારી ન્યૂઝીલેન્ડના વિદેશમંત્રી વિન્સ્ટન પીટર્સે આપી હતી.
પુલવામા આતંકવાદી હુમલા બાદ સંખ્યાબંધ દેશો ભારતની ખુલીને તરફેણ કરી રહ્યા છે.સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા સમિતિમાં ફ્રાન્સ દ્વારા હુમલાની જવાબદારી લેનાર જૈશ એ મહોમ્મદ સંગઠનના મુખિયા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટે પ્રસ્તાવ મુકાનાર છે.
અમેરિકાએ પણ ભારતને તમામ પ્રકારની મદદ કરવાની ઓફર કરી છે.ડોનાલ્ડ ટ્રમેપે આ હુમલાને ભયાનક ગણાવ્યો છે.બીજી તરફ ઈઝરાએલે પણ ભારતને તમામ રીતે સહકાર આપવાનુ એલાન કર્યુ છે.