For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

શહીદના પાર્થિવ દેહ નજીક માંગમાં સિંદૂર ભર્યું

- ભારતીય વીરાંગનાએ સૌને સ્તબ્ધ કરી દીધા

- રાજસ્થાનના કોટા જિલ્લામાં બનેલી ઘટના

Updated: Feb 18th, 2019

કોટા (રાજસ્થાન) તા. 18 ફેબ્રુઆરી 2019 સોમવાર

ગયા ગુરૂવારે 14 ફેબ્રુઆરીએ જમ્મુ કશ્મીરના પુલવામા વિસ્તારમાં સીઆરપીએફના કાફલા પર હુમલો કરીને આતંકવાદીઓએ 40 જવાનોને શહીદ બનાવ્યા એ પછી એક રાજસ્થાની યુવતીએ પતિના પાર્થિવ દેહ સાથે સાત ફેરા ફરી લઇને પોતાની માંગમાં સિંદૂર ભર્યું હોવાની માહિતી મળી હતી.

શહીદ થયેલા જવાનોમાં આ યુવતી મધુબાલાને પોતાના પતિ હેમરાજ મીણા શહીદ થયાની માહિતી મળી ચૂકી હતી. પરંતુ રાતનો સમય હતો અને એનાં બાળકો સુતાં હતાં એટલે મધુબાલાએ હો હા ન કરી. હેમરાજનો પાર્થિવ દેહ આવ્યો ત્યારે મધુબાલા એની સાથે સ્મશાન સુધી ગઇ એટલું જ નહીં પણ પાર્થિવ દેહ ફરતે  ઉલટા સાત ફેરા ફરીને ફરી પોતાની માંગમાં સિંદૂર ભરી લીધું હતું. ત્યારબાદ સદ્ગતને સલામ ભરીને સ્નેહભરી શ્રદ્ધાંજલિ આપી હતી. એ જોઇને ભલભલા મરદોની આંખના ખૂણા ભીના થયા હતા.

Gujarat