SP-BSP ગઠબંધનમાં મારી સહમતી લેવામાં આવી નથી: મુલાયમસિંહ યાદવ
Updated: Feb 21st, 2019
લખનૌ, તા. 21 ફેબ્રુઆરી 2019, ગુરુવાર
સમાજવાદી પાર્ટીની સિનિયર નેતા મુલાયમસિંહ યાદવ ફરીવાર પોતાના નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે. તેમણે આ વખતે ઉત્તરપ્રદેશમાં SP-BSPના ગઠબંધનને લઇને કહ્યું છે કે, લોકસભાની ચૂંટણી માટે સમાજવાદી પાર્ટી અને બહૂદજન સમાજ પાર્ટી સાથે જે ગઠબંધન કર્યું છે તેમાં મારી સહમતી લેવામાં આવી નથી.
મુલાયમસિંહ યાદવે આરોપ લગાવ્યો કે, સમાજવાદી પાર્ટી પોતાના જ લોકોને ખતમ કરવામાં લાગી છે. તેમણે કહ્યું કે, મેં એક મજબૂત પાર્ટી બનાવી હતી, જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા તો ઉત્તરપ્રદેશમાં પાર્ટીના 42 લોકસભા સાંસદ જીત્યા હતા.જો કે મુલાયમસિંહે પાર્ટી કાર્યકર્તાઓને કહ્યું કે, તમામ કામ છોડીને પાર્ટીને જીતાડવામાં તાકાત લગાવી દો.
Gujarat