For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કુલભૂષણ જાધવ મામલો: ICJમાં ભારતે પોતાનો પક્ષ રજુ કર્યો, કાલે ફરી થશે સુનવણી

Updated: Feb 18th, 2019

Article Content Image

નવી દિલ્હી, તા. 18 ફેબ્રુઆરી 2019, સોમવાર

ભારતીય નાગરિક કુલભૂષણ જાધવના મામલે ICJમાં સોમવારે શરૂ થયેલી સુનવણી લગભગ સાંજે સાડા પાંચ વાગ્યે મંગળવાર માટે સ્થગિત કરવામાં આવી છે. હવે મંગળવારે આ મામલે ફરીથી સુનવણી થશે.

આ મામલે સિનિયર એડવોકેટ હરિશ સાલ્વેએ ભારતનો પક્ષ રાખતા કહ્યું કે, પાકિસ્તાન જાધવ મામલે વિશ્વસનિય પુરાવા નથી આપ્યા અને સ્પષ્ટ ગુન્હો બતાવવામાં નાકામ રહ્યા. પાકિસ્તાન દુષ્પ્રચાર માટે ICJનો ઉપયોગ કરી રહ્યું છે. જાધવ મામલે રાજકિય સંબંધો પર વિયના સંધિનું ઉલ્લંઘન સહિત માત્ર બે મુદ્દા છે.

નોંધનિય છે કે, કુલભૂષણ જાધવના મામલે આંતરરાષ્ટ્રીય કોર્ટે(ICJ)માં સોમવારથી સુનાવણી શરૂ થઇ ગઇ છે, આ મામલે સતત 4 દિવસ સુનાવણીમાં ભારત અને પાકિસ્તાન પુછપરછ કરશે. ICJએ મામલાની સાર્વજનિક સુનાવણી માટે 18 થી 21 ફેબ્રુઆરી સુધીનો સમય નિયત કર્યો છે. આ સુનવણી ધ હેગ, નેધરલેન્ડ સ્થિત પીસ પેલેસમાં થઇ રહી છે.

ભારત પહેલા 18 ફેબ્રુઆરીએ પોતાની દલીલો રજૂ કરશે. જ્યારે પાકિસ્તાનને 19 ફેબ્રુઆરીએ રજૂઆત કરવાની તક મળશે. જે બાદ 20 ફેબ્રુઆરીએ ભારત જવાબ રજૂ કરશે, જ્યારે પાકિસ્તાનને પોતાની અંતિમ રજૂઆત કરશે.
Gujarat