For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મોદી સરકાર જવાનોને હવે હવાઈ માર્ગે જ કાશ્મીર મોકલશે

Updated: Feb 21st, 2019

નવી દિલ્હી,તા.21.ફેબ્રુઆરી 2019, ગુરુવાર

પુલવામા હુમલા બાદ મોદી સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.હવે જમ્મુ કાશ્મીરમાં તૈનાત સુરક્ષાદળોના જવાનોને હવાઈ માર્ગે જ કાશ્મીર મોકલવામાં આવશે.

આ નિર્ણયને ગુરુવારથી જ લાગુ કરી દેવામાં આવ્યો છે.તમામ સુરક્ષાદળોના વડાઓને આ અંગે જાણકારી આપી દેવાઈ છે.જે પ્રમાણે આસામ રાયફલ્સ, સીઆરપીએફ, બીએસએફ, આઈટીબીપી, એસએસબી, એનએસજી એમ તમામ ફોર્સીસના જવાનો પર લાગુ થશે.

આ નિર્ણયનો લાભ લગભગ 7.80 લાખ જવાનોને મળશે.તમામને જમ્મુ બેઝ કેમ્પથી શ્રીનગર હવાઈ માર્ગે જ મોકલવામાં આવશે.આ સુવિધા પહેલા સિનિયર રેન્કના અધિકારીઓને જ મળતી હતી.હવે તમામ જવાનોને પણ હવાઈ મુસાફરીનો લાભ મળશે.

Gujarat