For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સંગમમાં સ્નાન કરવાથી મોદી સરકારના પાપ ધોવાય જશે?: માયાવતી

Updated: Feb 25th, 2019

લખનૌ, તા. 25 ફેબ્રુઆરી 2019, સોમવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુંભ મેળામાં પહોંચી સ્નાન કરવા પર બીએસપી સુપ્રીમોએ પોતાની પ્રતિક્રિયા આપી છે.

વડાપ્રધાનને આડે હાથ લેતા માયાવતીએ કહ્યું કે,‘ચૂંટણી સમયે સંગમમાં શાહી સ્નાન કરવાથી મોદી સરકારના જનતા સાથેના વિશ્વાસઘાત અને અન્ય પ્રકારની સરકારી દમન અને પાપ ધોવાય જશે? નોટબંધી, જીએસટી, જાતિવાદ, દ્વેષ અને સામ્પ્રાદાયિકતા જેવા મારથી ત્રસ્ત જનતા શું બીજેપીને આટલી સરળતાથી માફ કરી દેશે?’

Gujarat