J&K: રાજૌરીમાં LoC પાસે IED બ્લાસ્ટમાં આર્મી મેજર શહિદ
Updated: Feb 16th, 2019
શ્રીનગર, તા. 16 ફેબ્રુઆરી 2019, શનિવાર
પુલવામામાં થયેલા આતંકી હુમલાને હજુ ગણતરીના કલાકો જ વિત્યા છે ત્યાં વધું એક આર્મી ઓફિસર શહિદ થયાં છે. રાજૌરી જિલ્લામાં કંટ્રોલ લાઇન પાસે મેજર તપાસ માટે જઇ રહ્યાં હતા અને આતંકીઓ દ્વારા લગાવવામાં આવેલા IEDને ડીફ્યૂઝ કરતી વખતે તેઓ શહીદ થઇ ગયા. IED નૌશેરા સેક્ટરના રાજૌરી જિલ્લામાં કંટ્રોલ લાઇનના 1.5 કિમી અંદર લગાવેલો હતો.
ઉલ્લેખનિય છે કે, જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળો પર થયેલા સૌથી મોટા આતંરી હુમલામાં CRPFના જવાનો શહિદ થયા હતા. જે બાદ આજે IED ડીફ્યૂઝ કરતી વખતે આર્મી ઓફિસર શહિદ થઇ ગયા છે.
Gujarat