જાણો, એર સ્ટ્રાઈક વખતે કયા વિમાનો બન્યા હતા મિરાજ-2000નુ રક્ષાકવચ
Updated: Feb 27th, 2019
નવી દિલ્હી,તા.26.ફેબ્રઆરી 2019, મંગળવાર
ભારતીય વાયુસેનાએ પુલવામા હુમલાનો બદલો લેવા માટે પાકિસ્તાનના આતંકવાદી કેમ્પો પરની સર્જિકલ સ્ટ્રાઈકને કેવી રીતે અંજામ આપ્યો તેની રસપ્રદ વિગતો બહાર આવી રહી છે.
મળતી વિગતો પ્રમાણે વાયુસેનાએ પાકિસ્તાનમાં બોમ્બમારો કરનાર મિરાજ-2000ની મદદ કરવા માટે પોતાની AWACS સિસ્ટમ એક્ટિવ કરી હતી.અલ્રી વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ તરીકે ઓળખાતા એવાક્સમાં વિમાનની ઉપર જ રડાર ફીટ કરેલુ હોય છે અને આ વિમાન હવામાં ઉડતુ રહે છે.જે 400 કિમી દુર પણ દુશ્મનના વિમાન કે મિસાઈલની હિલચાલની ગંધ પારખી લે છે.
વાયુસેનાએ એવોક્સ વિમાનોને ઉડતા રાખ્યા હતા.જેથી મિરાજ-2000નો સામનો કરવા માટે પાકિસ્તાની વાયુસેના જો કોઈ વિમાન કે મિસાઈલ રવાના કરે તો ભારતીય વિમાનોને ચેતવી શકાય.મિરાજ વિમાનોને એવોક્સ દ્વારા 30000 ફૂટની ઉંચાઈએ ઉડતા રહીને સતત માર્ગદર્શન પુરુ પાડવામાં આવી રહ્યુ હતુ.
તેની સાથે સાથે ભારતે એલઓસીની એકદમ નજીક સુખોઈ એમકેઆઈ-30 પ્રકારના ફાઈટર જેટ્સને પણ આકાશમાં તૈનાત કરી રાખ્યા હતા .જેથી પાક વાયુસેનાના વિમાનોનો સામનો કરવાનો આવે તો તરત જ તે મિરાજ-2000 વિમાનોની મદદે જઈ શકે.