કશ્મીરી સ્ટુડન્ટ્સ વાપસ જાઓના નારા
- વિવિધ રાજ્યોની કૉલેજો-હૉસ્ટેલ્સમાં વાતાવરણ તંગ
- કશ્મીરી વિદ્યાર્થીઓ ભયભીત થયા
Updated: Feb 18th, 2019
નવી દિલ્હી તા.18 ફેૂબ્રુઆરી 2019 સોમવાર
જમ્મુ કશ્મીરના પુલવામા વિસ્તારમાં 14 જાન્યુઆરીએ થયેલા આતંકવાદી હુમલાના ઉગ્ર પ્રતિઘાત વિવિધ રાજ્યોની કૉલેજો અને યુનિવર્સિટીઝમાં અભ્યાસ કરી રહેલા કશ્મીરી વિદ્યાર્થીઓ પર પડ્યા હતા. લેટેસ્ટ માહિતી મુજબ ઠેર ઠેર મુજબ કશ્મીરી સ્ટુડન્ટ્સ વાપસ જાઓ એવા નારા વિવિધ શિક્ષણ સંસ્થાઓના કેમ્પસમાં ગાજ્યા હતા.
અત્રે એ યાદ રહે કે છેલ્લાં ચાર પાંચ વર્ષથી જમ્મુ કશ્મીરમાં સ્કૂલ-કૉલેજના વિદ્યાર્થીઓ સિક્યોરિટી જવાનો પર પથ્થરમારો કરી રહ્યાં છે. એ સામે પણ અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓમાં કચવાટ પ્રવર્તતો હતો. પુલવામાની ઘટના પછી કશ્મીરી વિદ્યાર્થીઓ પર સહપાઠીઓ નારાજ થયા હતા અને તેમણે કશ્મીરી સ્ટુડન્ટસ વાપસ જાઓના નારા લગાવ્યા હતા. જો કે પોલીસે આવા સંવેદનશીલ વિસ્તારોમાં બંદોબસ્ત ગોઠવ્યો હતો.
Gujarat