For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કપિલ શર્માએ સિધ્ધુની હકાલપટ્ટીનો કર્યો વિરોધ, આપ્યુ આવુ નિવેદન

Updated: Feb 19th, 2019

Article Content Imageનવી દિલ્હી, તા. 19. ફેબ્રુઆરી 2019 મંગળવાર

પુલવામા એટેક પર પંજાબ સરકારના મંત્રી અને કોંગ્રેસના નેતા નવજોત સિધ્ધુએ દર્શાવેલા પાક પ્રેમ બાદ હવે કપિલ શર્માએ સિધ્ધુની તરફેણ કરીને લોકોનો રોષ વ્હોરી લીધો છે.

સિધ્ધુએ પાકિસ્તાન સાથે આતકંવાદી હુમલા બાદ પણ વાતચીતની તરફેણ કરતા લોકોમાં રોષ ફેલાયો હતો.એ પછી સોની ટીવીએ કપિલ શર્માના શોમાંથી સિધ્ધુની હકાલપટ્ટી કરી હતી.

જોકે કપિલ શર્માએ સિધ્ધુની તરફેણ કરીને વિવાદ સર્જયો છે.કપિલ શર્માએ એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે કાશ્મીરના અને આતંકવાદના મુદ્દાનો સ્થાયી ઉકેલ લાવવો જોઈએ.નાની નાની બાબતો જેમ કે પેલાને બેન કરી દો, પેલા પર પ્રતિબંધ મુકી દો, સિધ્ધુજીને શોમાંથી કાઢી મુકો.તમે મને કહો કે સિધ્ધુજીને શોમાંથી કાઢી મુકવાથી આ સમસ્યાનો ઉકેલ આવશે?જો એવુ હોત તો સિધ્ધુજી એટલા સમજદાર છે કે તે જાતે જ શોમાંથી નિકળી ગયા હોત.

કપિલે કહ્યુ હતુ લોકોને ગુમરાહ કરવામાં આવે છે.બોયકોટ સિધ્ધુ અને બોયકોટ કપિલ શર્માનુ એલાન આપવામાં આવે છે.મને લાગે છે કે મુદ્દાની વાત કરવી જોઈએ.જો સમસ્યા હોય તો તેના પર ફોકસ કરવુ જોઈએ પણ અત્યારે યુથનુ ધ્યાન ડાયવર્ટ કરવામાં આવી રહ્યુ છે.જેનાથી આપણે અસલ મુદ્દાથી ભટકી જઈએ.

Gujarat