For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પાક પત્રકારનો બેફામ વાણી વિલાસ, ભારતને ટામેટાનો જવાબ એટમ બોમ્બથી મળશે

Updated: Feb 24th, 2019

Article Content Imageનવી દિલ્હી,તા.24.ફેબ્રુઆરી 2019 રવિવાર

પુલવામા હુમલા બાદ પાકિસ્તાની સરકાર જ નહી પણ પાકિસ્તાની મીડિયા પણ નફ્ફાટાઈ પર ઉતરી આવ્યુ છે.પાક સરકારના મંત્રીઓની જેમ પાકિસ્તાનના પત્રકારો પણ બેફામ નિવેદનો આપી રહ્યા છે.

આવા જ એક પત્રકારનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.સીટી 42 નામની ચેનલનો પત્રકાર કૈસર ખોખર વીડિયોમાં બેફામ વાણી વિલાસ કરતો નજરે પડે છે.આ પત્રકાર કહે છે કે ભારત એવુ સમજે છે કે પાકિસ્તાન ભારતના ટામેટા વગર રહી નહી શકે, આવનારા દિવસોમાં પાકિસ્તાન પોતે ટામેટા ઉગાડશે.પાકિસ્તાનમાં આવતા ટામેટા બેન કરીને હિન્દુસ્તાનની 125 કરોડની વસતીએ નીચ હરકત કરી છે.

તે આગળ કહે છે કે ભારતને એવુ લાગે છે કે પાકિસ્તાનીઓ ટામેટા વગર જીવતા નહી રહી શકે.અમે આ ટામેટા મોદી અને રાહુલના મોઢા પર મારીએ છે.જે રીતે ભાતર આજે સળગી રહ્યુ છે તે રીતે તેમના ટામેટા પણ સળગી જશે.હવે સમય આવી ગયો છે કે ભારતને ટામેટાનો જવાબ એટમ બોમ્બથી આપવામાં આવે.ભારત માટે  જ પાકિસ્તાન એટમ બોમ્બ બનાવ્યો છે.પાકિસ્તાનની મિસાઈલો પણ હરકતમાં આવશે.ભારતે પાકિસ્તાનથી ડરવુ જોઈએ.

જોકે જે રીતે આ પત્રકાર બોલી રહ્યો છે તેના કારણે લોકો સોશ્યલ મીડિયા પર તેની ભરપૂર મજાક પણ ઉડાવી રહ્યા છે.

Gujarat