J&K: પાકિસ્તાન સેનાએ ઈન્ડિયન આર્મીની ચોકીઓ પર ફાયરિંગ કર્યુ
Updated: Feb 20th, 2019
શ્રીનગર, તા. 20 ફેબ્રુઆરી 2019 બુધવાર
પુલવામા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ એક નવા સ્તરે પહોંચી ગયો છે. પાકિસ્તાનની સેના તરફથી LOC પર આવેલા ઈન્ડિયન આર્મીની પોસ્ટ્સ પર સતત ફાયરીંગ ચાલુ છે. સેના પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહી છે. પાક સેનાએ રાજોરીના નૌશેરામાં કેટલીક પોસ્ટ્સને નિશાન બનાવ્યુ છે.
IED બ્લાસ્ટ થયો હતો. તેમાં મેજર ચિત્રેશ સિંહ બિષ્ટ શહીદ થઈ ગયા હતા. પાકિસ્તાન તરફથી મંગળવારે સાંજે જ ફાયરીંગ ચાલુ છે. સાંજે લગભગ 6:40 પર પાકિસ્તાન સેનાએ રાજોરીના નૌશેરા સેક્ટર અનુસાર નામ્બ અને શેર માકરી વિસ્તારમાં ગોળીબાર કર્યો હતો. ભારત તરફથી પાકિસ્તાનને પુલવામા આતંકી હુમલાનો કરારો જવાબ ભોગવવાની ચેતવણી આપી ચૂક્યા છે.
Gujarat