For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પાકિસ્તાનમાં ભારતના હાઇકમિશ્નર અજય બિસારિયાને દિલ્હી બોલાવાયા

Updated: Feb 15th, 2019

Article Content Image

નવી દિલ્હી, તા. 15 ફેબ્રુઆરી 2019, શુક્રવાર

જમ્મુ કાશ્મીરમાં CRPFના જવાનો પર આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સ્થિતી પોતાના હાઇકમિશ્નરને બોલાવ્યા છે. પુલવામામાં હુમલાને ધ્યાનમાં રાખીને ભારત હાઇકમિશ્નર અજય બસારિયાને દિલ્હી બોલાવાયા છે.

સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે એક અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે અજય બિસારિયાને આ હુમલાને ધ્યાનમાં રાખીને ચર્ચા માટે બોલાવ્યા છે. તેટલું જ નહી પુલવામા હુમલાના ગુનેગારોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્પષ્ટ ચેતવણી બાદ વિદેશ સચિવે પાકિસ્તાનના હાઇકમિશ્નરને બોલાવીને વિરોધ નોંધાવ્યો છે.

આજે શુક્રવારે બપોરે લગભગ 2 વાગ્યે વિદેશ સચિવ વિજય ગોખલેએ ભારતમાં પાકિસ્તાનના હાઇકમિશ્નર સોહેલ મહમૂદને બોલાવ્યા. સુત્રો પાસેથી મળતી મહિતી મુજબ વિદેશ સચિવે આ હુમલા સાથે જોડાયેલો એક ડિમાર્શ પણ જાહેર કર્યો.
Gujarat