For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પાક પર એર સ્ટ્રાઈક, અક્ષયે કહ્યું અંદર ઘૂસીને મારો, જાણો બોલીવુડ સ્ટાર્સના રીએક્શન

Updated: Feb 26th, 2019

Article Content Imageનવી દિલ્હી, તા. 26. ફેબ્રુઆરી 2019 મંગળવાર

ભારતે પુલવામા હુમલાનો બદલો લેવા માટે આતંકવાદી કેમ્પો કરેલા બોમ્બમારા બાદ દેશ આખો મોદી સરકાર અને વાયુસેનાને અભિનંદન આપી રહ્યો છે.જેમાંથી બોલીવૂડ પણ બાકાત નથી. બોલીવૂડના સિતારોએ આ રીતે ખુશી મનાવી હતી.

અક્ષય કુમારે કહ્યુ હતુ કે ભારતીય વાયુસેના પર ગર્વ છે.આપણા વિમાનો આતંકવાદી કેમ્પોને ખતમ કરી રહ્યા છે.મારો અંદર સુધી ઘુસીને એક્ટ્રેસ સેલિના જેટલીએ લખ્યુ હતુ કે, યાદ રહે નામ નમક અને નિશાન, ઈન્ડિયન એરફોર્સને સેલ્યુટ, મોદીજી જય હિંદ

અભિષેક બચ્ચને ટ્વિટ કર્યુ હતુ કે નમસ્કાર કરીએ છે..

ડાયરેક્ટર મધુર ભંડારકરે કહ્યુ હતુ કે એરફોર્સના જાંબાઝોને સેલ્યુટ,ભારતીયો માટે એકતા બતાવવાનો સમય છે.

અનુપમખેરે પ્રતિક્રિયા આપતા કહ્યુ હતુ કે ભારત માતા કી જય

જયારે ભાજપ સાંસદ અને એક્ટર પરેશ રાવલે ટ્વિટ કર્યુ હતુ કે નરેન્દ્ર મોદી સર અને સેનાના બહાદુરોને ધ્ન્યવાદ, જય હો 

અજય દેવગણે વાયુસેનાને સલામ કરતા ટ્વિટ કર્યુ હતુ કે , મેસ વિથ ધ બેસ્ટ અને ડાઈ લાઈક ધ રેસ્ટ,  મતલબ કે જે સર્વશ્રેષ્ઠ છે તેમની સાથે પંગો લેશો તો બાકીનાની જેમ જ મોતને ભેટશો

સિંગર કૈલાશ ખેરે કહ્યુ હતુ કે નવી દિશા, નવી દશા, નવી રીતિ અને નવી નીતિ, નવા ભારતના સપૂતોને શત શત નમન

Gujarat