ઇન્ડિયન એરફોર્સના વિમાનો PoKમાં ઘૂસી આવ્યાં: પાકનો આરોપ
Updated: Feb 26th, 2019
નવી દિલ્હી, તા. 26 ફેબ્રુઆરી 2019, મંગળવાર
પુલવામા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં ઓર કડવાશ વ્યાપી રહી છે. દરમિયાન છેલ્લા કેટલાયે કલાકોથી પાકિસ્તાન સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. ભારત તેનો જડબાતોડ જવાબ આપી રહ્યું છે. દરમિયાન પાકિસ્તાને ભારતીય વાયુ સેના પર નિયંત્રણ રેખાનું ઉલ્લંઘન કર્યાનો આરોપ મૂક્યો છે.
પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે ભારત પર આરોપ મૂક્યો છે. ગફૂરે ટ્વીટર પર લખ્યું કે ભારતીય વાયુસેનાએ નિયંત્રણ રેખાનું ઉલ્લંઘન કર્યું. પાકિસ્તાન વાયુસેનાએ તુરંત કાર્યવાહી કરી. ભારતીય વિમાનો પાછા જતાં રહ્યાં. પાકિસ્તાનના આરોપનો ભારતે હજુ સુધી અધિકૃત જવાબ આપ્યો નથી.
ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યું હતું કે અમે યુદ્ધ માટે તૈયાર નથી પરંતુ જો બીજી તરફથી યુદ્ધ થોપવામાં આવશે તો અમે જવાબ આપીશું.