અજીત દોવાલે એર સ્ટ્રાઈક પર રાખી હતી સતત નજર
Updated: Feb 26th, 2019
નવી દિલ્હી, તા. 26. ફેબ્રુઆરી 2019 મંગળવાર
ભારતીય વાયુસેનાએ પુલવામા હુમલાનો બદલો લેવા માટે પાકિસ્તાનના આતંકવાદી કેમ્પો પર કરેલી સર્જિકલ સ્ટ્રાઈક પર નેશનલ સિક્યુરિટી એડવાઈઝર અજીત દોવાલે પળે પળની નજર રાખી હતી.
આ પહેલા પણ ઉરી હુમલા બાદ થયેલી સર્જિકલ સ્ટ્રાઈકને દોવાલની નજર હેઠળ જ અંજામ આપવામાં આવ્યો હતો.સૂત્રોના કહેવા પ્રમાણે ભારત પાસે બાલાકોટમાં આતંકવાદી કેમ્પ ચાલતા હોવાની પાકી બાતમી હતી.સોમવારની મધરાતે થયેલી કાર્યવાહીને પણ અજીત દોવાલની નિગરાનીમાં અંજામ આપવામાં આવ્યો હતો.
મિશન પુરુ થતાની સાથે જ અજીત દોવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાણકારી આપી હતી.એ પછી ગૃહ મંત્રી રાજનાથસિંહ, નાણા મંત્રી અરુણ જેટલી, રક્ષા મંત્રી નિર્મલા સિતારમનની વડાપ્રધાન મોદીના નિવાસસ્થાને બેઠક યોજાઈ હતી.
Gujarat