For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારતના હુમલા બાદ પાકિસ્તાનની સંસદમાં ઈમરાનખાન મુર્દાબાદના નારા

Updated: Feb 26th, 2019

Article Content Imageનવી દિલ્હી,તા.26.ફેબ્રુઆરી 2019, મંગળવાર

પુલવામા હુમલાનો બદલો લેવા માટે ભારતીય વાયુસેનાના વિમાનોએ પાકિસ્તાનના આતંકવાદી કેમ્પોનો સફાયો કર્યા બાદ પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો છે.

પાકિસ્તાનની સંસદમાં પીએમ ઈમરાનખાન મુર્દાબાદના નારા પણ લાગ્યા છે.પાકિસ્તાનની વિપક્ષી પાર્ટીઓએ ઈમરાનખાન સરકારની નીતિ પર સવાલો ઉઠાવ્યા છે.કેટલાક સાંસદોએ તો શેમ શેમના પોકારો પણ કર્યા હતા.

પુલવામા હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ એ મહોમ્મદે સ્વીકાર્યા બાદ પાકિસ્તાનની સરકારને તેના જ ત્રણ પૂર્વ વિદેશ સચિવોએ ચેતવણી આપી હતી કે પુલવામા હુમલા બાદ ભારત આક્રમક કાર્યવાહી કરી શકે છે.આ ચેતવણી છતા ભારત પાકિસ્તાનને ઘરમાં ઘુસીને ફટકો મારી જતા આખા પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે.

Gujarat