મારી પાસે કોઈ ચમત્કારની આશા ના રાખતા, પ્રિયંકા ગાંધીએ કાર્યકરોને આપી સલાહ
Updated: Feb 19th, 2019
નવી દિલ્હી,તા.19.ફેબ્રુઆરી 2019, મંગળવાર
કોંગ્રેસના મહાસચિવ અને ઉત્તરપ્રદેશની જવાબદારી સંભાળી રહેલા પ્રિયંકા ગાંધીના કારણે કોંગ્રેસ લોકસભાની આગામી ચૂંટણીમાં સારો દેખાવ કરશે તેવી આશા કોંગી કાર્યકરો રાખી રહ્યા છે.
જોકે પ્રિયંકા ગાંધીએ કાર્યકરોને ચોખ્ખા શબ્દોમાં કહ્યુ છે કે મારી પાસેથી ચમત્કારની આશા ના રાખતા,બૂથ લેવલ પર તમારે વધારે મહેતન કરવી પડશે.તમે બૂથ લેવલે પાર્ટીને મજબૂત કરશો અને હું તમારા સહકારથી કોંગ્રેસને ઉત્તરપ્રદેશમાં મજબૂત બનાવીશ.
પ્રિયંકા ગાંધીએ સોમવારે બુંદેલખંડમાં કાર્યકરો સાથેની બેઠકમાં ઉપરોક્ત વાત કરી હતી.બુંદેલખંડમાં વિધાનસભાની 19 અને લોકસભાની ચાર બેઠકો છે.
આ પહેલાપ્રિયંકા ગાંધી ચેતવણી આપી ચુક્યા છે કે પાર્ટી વિરોધી કામગીરીમાં જો કોઈ નેતા કે કાર્યકર સામેલ હશે તો તરત જ તેને પાર્ટીની બહારનો રસ્તો બતાવી દેવામાં આવશે.