હિન્દીને 8મા ધોરણ સુધી ફરજિયાત બનાવવાના અહેવાલો ખોટા, જાવડેકરે કરી સ્પષ્ટતા
Updated: Jan 10th, 2019
નવી દિલ્હી, તા. 10. જાન્યુઆરી 2019 ગુરુવાર
રાષ્ટ્રભાષા હિન્દીને આઠમા ધોરણ સુધી ફરજિયાત કરવાના અહેવાલોને માનવ સંસાધન મંત્રાલયે ફગાવી દીધા છે. માનવ સંસાધન મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ હતુ કે નવી શિક્ષણ નીતિ ઘડવા માટેની કમિટીના અહેવાલમાં કોઈ પણ ભાષાને ફરજિયાત બનાવવા માટેની ભલામણ નથી.જોકે હિન્દી ભાષા ફરજિયાત કરાશે તેવા ખોટા અહેવાલો ફરી રહ્યા હોવાથી આ સ્પષ્ટતા કરવી જરુરી બની જાય છે.
આ પહેલા એવી ચર્ચા શરુ થઈ હતી કે નવી પોલિસ બનાવી રહેલી કમિટિએ હિન્દીને આઠમા ધોરણ સુધી ફરજિયાત બનાવવા માટે ભલામણ કરી છે. ઉલ્લેખનીય છે કે તામિલનાડુ, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, ગોવા, પશ્ચિમ બંગાળ અને આસામ જેવા રાજ્યોમાં હિન્દી ફરજિયાત વિષય તરીકે નથી ભણાવાતી.
Gujarat