ચંબલની કોતરોને ધ્રુજાવનારા પૂર્વ ડાકુ સરદારને 700 સાથીઓ સાથે પાક સામે જંગે ચઢવુ છે
Updated: Feb 20th, 2019
કાનપુર,તા.20.ફેબ્રુઆરી 2019, બુધવાર
પુલવામામાં આતંકવાદી હુમલા બાદ આખા દેશમાંથી એક જ સૂર ઉઠી રહ્યો છે કે પાકિસ્તાનને પાઠ ભણાવો.
એક જમાનામાં ચંબલની કોતરમાં જેના નામની ધાક હતી તે પૂર્વ ડાકુ મલખાનસિંહ પણ પાક સામે ગુસ્સાથી ઉકલી રહ્યા છે.મલખાનસિંહે ઓફર કરી છે કે સરકાર જો રજા આપતી હોય તો હું અને મારા બીજા 700 સાથીઓ પાક સામે યુધ્ધમાં ઉતરવા તૈયાર છે.
મલખાનસિંહે કહ્યુ હતુ કે અમારે પાક સામે લડવા કોઈ પગાર પણ નથી જોઈતો અને અમારી કોઈ શરત પણ નથી.માત્ર દેશ માટે બોર્ડર પર જઈને લડવુ છે.અમારી પાસે સરકાર ઈચ્છે તો લખાણ પણ લઈ શકે છે.એક વખત સરકાર હા પાડે તો હું પીછેહઠ નહી કરુ.
પૂર્વ ડાકુ સરદારે કહ્યુ હતુ કે 15 વર્ષ ખાલી કથા વાર્તા નથી કરી.મા ભવાનીની કૃપા હશે તો મલખાનસિંહનો વાળ વાંકો નહી થાય પણ હું ઈચ્છું છું કે અમને બોર્ડર પર મોકલવામાંઆવે. મલખાનસિંહ કાનપુરમાં શહીદોને શ્રધ્ધાંજલિ આપવાના કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવ્યા હતા.