For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પથ્થરબાજોને પણ આતંકવાદી સમજીને સામનો કરો

- વરિષ્ઠ લશ્કરી અધિકારીએ વ્યક્ત કરેલો અભિપ્રાય

- આ લોકો પણ દેશવિરોધી કૃત્ય કરી રહ્યા છે

Updated: Feb 18th, 2019

નવી દિલ્હી તા.18 ફેબ્રુઆરી 2019 સોમવાર

જમ્મુ કશ્મીરમાં ફરજ બજાવી રહેલા સિક્યોરિટી દળો પર પથ્થરમારો કરતા ટીનેજર્સનેા પણ આતંકવાદી જેવો સામનો કરો એવી હાકલ એક વરિષ્ઠ લશ્કરી અધિકારીએ કરી હતી.

એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કર્નલ લેફ્ટનંટ અને ડિફેન્સ એક્સપર્ટ ડી જી બક્ષીએ કહ્યું હતું કે આ યુવાનો પણ દેશ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા છે. સિક્યોરિટી દળો પર પથ્થરમારો 

કરતા યુવાનો આવું કરવા માટે પાકિસ્તાની સૂત્રો પાસેથી પૈસા મેળવી રહ્યા છે. સિક્યોરિટી દળોએ આ લોકોને પણ આતંકવાદી સમજીને એમની સામે પગલાં લેવાનો સમય પાકી ગયો છે.

તેમણે કહ્યું કે જમ્મુ કશ્મીરમાં અઢીસો આતંકવાદીઓ છે.એ લોકો જેટલા જોખમી છે એટલા જ જોખમી આ વીસ હજાર પથ્થરબાજો છે એટલે પથ્થરબાજોને પણ કડક હાથે દબાવી દેવાની 

તાકીદે જરૂર છે.

Gujarat