નવજોત સિધ્ધુ પર મુંબઈની ફિલ્મ સિટીમાં પ્રવેશવા પર પણ બેન
Updated: Feb 22nd, 2019
નવી દિલ્હી,તા.22.ફેબ્રુઆરી 2019, શુક્રવાર
પાકિસ્તાનની તરફેણ કરીને આખા દેશના રોષનો ભોગ બનનાર પંજાબ સરકારના મંત્રી અને કોંગ્રેસી નેતા નવજોત સિધ્ધુ પર પર મુંબઈની ફિલ્મ સિટીમાં પ્રવેશવા પર પણ બેન લગાવાયો છે.
ગુરુવારે થયેલી બેઠક બાદ ફેડરેશન ઓફ વેસ્ટર્ન સિને એમ્પ્લોઈઝ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો હતો.21 ફેબ્રુઆરીએ જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે આતંકવાદી હુમલા પર સિધ્ધુએ આપેલા નિવેદન બાદ સોની ચેનલે કપિલ શર્માના શોમાંથી સિધ્ધુની હકાલપટ્ટી કરી છે.તેની સાથે જ પાકિસ્તાની આર્ટિસ્ટ, સિંગર્સને ફિલ્મ તેમજ ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી બેન કરવાનો નિર્ણય લેવાયો છે.
ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ડાયરેક્ટર્સ એસોસિએશનની સાથે સાથે ફિલ્મ ડિવિઝન બોર્ડે પણ પાકિસ્તાની કલાકારોને બેન કરવાનો નિર્ણય લીધો છે.
Gujarat