મારાથી ચમત્કારની આશા ન રાખો : પ્રિયંકા ગાંધી
Updated: Feb 18th, 2019
(પીટીઆઇ) નવી દિલ્હી, તા.18 ફેબ્રુઆરી, 2019, સોમવાર
કોંગ્રેસે મારી પાસેથી ચમત્કારની આશા ન રાખવી જોઇએ તેમ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઉત્તર પ્રદેશના બુંદેલખંડ ક્ષેત્રના પક્ષ કાર્યકર્તાઓને જણાવ્યું હતું. આગામી ચૂંટણીમાં પક્ષનો દેખાવ બૂથ લેવલના સંગઠન પર આધારિત રહેશે.
ઉત્તર પ્રદેશ પૂર્વના એઆઇસીસીના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધીએ પક્ષના કાર્યકરોને ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો કોઇ કાર્યકર પક્ષ વિરોધી પ્રવૃત્તિમાં પકડાશે તો તેને તરત જ દરવાજો બતાવી દેવામાં આવશે.
Gujarat