શહીદોનાં સ્વજનોને ડિસ્ટર્બ ન કરો પ્લીઝ...
- ભારતીય લશ્કરે મિડિયાને કરેલી અપીલ
- અત્યારે એ લોકોને એકલા રહેવા દો...
Updated: Feb 16th, 2019
નવી દિલ્હી તા.16 ફેબ્રુઆરી 2019 શનિવાર
ભારતીય લશ્કરના પ્રવક્તાએે મિડિયા જોગ અપીલ કરતાં કહ્યું હતું કે શહીદોનાં સ્વજનોને અત્યારે ડિસ્ટર્બ ન કરશો પ્લીઝ...
શહીદ પરિવારોના સ્વજનોને આક્રંદ કરતાં કેમેરામાં ઝડપી લેવા મિડિયામેન દ્વારા કરાતી દોડાદોડને તત્કાળ અટકાવવાની વિનંતી કરતાં લશ્કરી પ્રવક્તાએ કહ્યું કે અત્યારે એ લોકો પર આપત્તિનો પહાડ તૂટી પડ્યો છે. એમને એકલા છોડી દો પ્લીઝ...
તમે તમારી ફરજ બજાવી રહ્યા છો એ અમે સમજીએ છીએ પરંતુ આવા આઘાતજનક પ્રસંગે તમે આક્રંદ કરતા કુટુંબીજનોની વિડિયો ક્લીપ દેખાડો એ યોગ્ય નથી એવું પણ લશ્કરી પ્રવક્તાએ કહ્યું હતું.
Gujarat