For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પાક સામે લડવા પૂર્વ ડાકૂ મલખાનસિંહ તૈયાર, સરકાર પાસે મંજૂરી માગી

- પુલવામા હુમલાનો બદલો લેવો જ જોઈએ

Updated: Feb 21st, 2019


કાનપુર, તા. ૨૦ ફેબ્રુઆરી, 2019, બુધવાર

પુલવામાના આતંકી હુમલા બાદ દરેક ભારતવાસી આતંકીઓ અને તેના આકાઓ સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી રહ્યા છે ત્યારે હવે પૂર્વ કુખ્યાત ડાકૂ મલખાનસિંહે પણ સરહદ પર જઈ પાક સામે યુધ્ધ લડવાની ઈચ્છા વ્યકત કરી છે અને સરકાર પાસે મંજુરી માગી છે.તે પોતાના સાત સાથીદારો સાથે સરહદે જંગ છેડવા તૈયાર થયા છે.

પહાડોમાં ભયનું બીજું નામ એવા પૂર્વ ડાકૂ મલખાનસિંહે કાનપુરમાં પત્રકારોને મળી પોતાની આ ઈચ્છા વ્યકત કરી હતી. તેણે જણાવ્યું કે હું અને મારા સાત સાથીદારો સરહદે જઈ પાક સામે યુધ્ધ લડવા તૈયાર છીએ. મધ્યપ્રદેશમાં હાલમાં પણ ૭૦૦ ડાકૂઓ મોજુદ છે જેને સાથે લઈ જઈ દેશ માટે અમે મરવા તૈયાર છીએ.

તેણે પત્રકારોને જણાવ્યું કે જો સરકાર અમને સરહદે જઈ લડવા મંજુરી આપશે તો અમે કોઈ પણ શરત કે પગારની આશા વગર તૈયાર છીએ અને જરૃર પડયે દેશ માટે જીવ આપતા પણ અચકાઈશું નહીં.

તેણે એવું પણ જણાવ્યું કે અમારી પાસે એવું પણ લખાવી લેવામાં આવે કે અમે જંગમાં મરી જઈએ તો કોઈ ગુનો નહી ગણાય અને પાછો પડું તો મારૃ નામ મિલખાનસિંહ નહી.  મિલખાનસિંહનું કહેવું છે કે પુલવામા હુમલાનો બદલો લેવો જ જોઈએ.

Gujarat