CRPFના જવાનોએ 250 કાશ્મીરી વિદ્યાર્થીઓને તેમના ઘરે સુરક્ષિત પહોંચાડ્યા
Updated: Feb 20th, 2019
નવી દિલ્હી,તા.20.ફેબ્રઆરી 2019, બુધવાર
કાશ્મીરી આતકંવાદીના આત્મઘાતી હુમલામાં પોતાના 40 જવાનો ગુમાવ્યા બાદ પણ સીઆરપીએફે કાશ્મીરના વિદ્યાર્થીઓને મદદ કરવામાં કોઈ કસર રાખી નથી.
પોતાની હેલ્પલાઈન થકી સીઆરપીએફે 250 જેટલા કાશ્મીરી વિદ્યાર્થીઓને મદદ પહોંચાડી છે.પુલવામા હુમલા બાદ દેશભરમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા કાશ્મીરના વિદ્યાર્થીઓ પર હુમલા થયા હોવાના બોગસ અહેવાલો વહેતા થયા હતા.જેના પગલે દેશભરમાંથી 250 જેટલા કાશ્મીરી વિદ્યાર્થીઓએ ચિંતિત થઈને કાશ્મીર પાછા જવાનુ નક્કી કર્યુ હતુ.
સીઆરપીએફે પોતાની મદદગાર નામની હેલ્પલાઈન થકી પહેલા જ કાશ્મીરીઓને કોઈ પણ મદદ જોઈતી હોય તો અપીલ કરેલી છે.એ પછી દેશના વિવિધ હિસ્સમાંથી જમ્મુમાં એકઠા થયેલા 250 કાશ્મીરી વિદ્યાર્થીઓને સીઆરપીએફના જવાનોએ તેમના ઘર સુધી પહોંચાડ્યા હતા.
મદદગાર હેલ્પ લાઈન પર દેશના વિવિધ રાજ્યોમાં રહીને કામ કરતા અથવા અભ્યાસ કરતા કાશ્મીરી યુવાનોએ મદદ માંગી હોય તેવા 60 થી 70 કિસ્સા બન્યા છે.