For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વર્લ્ડ કપમાં પાકિસ્તાન સાથે નહી રમવાથી તેને ફાયદો થશે: સચિન તેંદુલકર

Updated: Feb 22nd, 2019

Article Content Image

નવી દિલ્હી, તા. 22 ફેબ્રુઆરી 2019, શુક્રવાર

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરે વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મેચને લઇને કહ્યું છે કે, આગામી વિશ્વકપમાં પાકિસ્તાન વિરુદ્ધ નહી રમીને તેને બે પોઇન્ટ આપવા યોગ્ય નથી કારણ કે તેનાથી વર્લ્ડ કપમાં ભારતના કટ્ટર હરિફને ફાયદો જ થશે. તેમણે કહ્યું કે, ભારત માટે વિશ્વકપમાં 16 જુને યોજાનારા મુકાબલાથી દૂર થવાની જગ્યાએ તેને હરાવવું યોગ્ય રહેશે.

તેમણે પોતાના એક નિવેદનમાં કહ્યું કે, ભારત વર્લ્ડ કપમાં હંમેશા પાકિસ્તાન વિરુદ્ધ સારું પ્રદર્શન કર્યું છે. હવે ફરીથી તેમને હરાવવાનો સમય છે. હું અંગતરીતે પાકિસ્તાનને બે પોઇન્ટ આપવાનું પસંદ નહી કરું કારણ કે તેનાથી ટૂર્નામેન્ટમાં તેમને મદદ મળશે.

તેમણે વધુમાં કહ્યું કે, પરંતુ મારા માટે ભારત સર્વોપરી છે અને મારો દેશ જે પણ નિર્ણય કરશે હું તેનું સમર્થન કરીશ.
Gujarat