મોદીજી, તમને સરકાર પાડવામાંથી ફૂરસદ મળી હોય તો કોરોના અને ઈકોનોમી પર બોલો
Updated: Mar 12th, 2020
નવી દિલ્હી, તા.12 માર્ચ 2020, ગુરૂવાર
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી બાદ હવે મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ પીએમ મોદી પર નિશાન સાધ્યુ છે.
પ્રિયંકાએ કહ્યુ છે કે, જો સરકાર ગબડાવવામાંથી ફુરસદ મળી હોય તો કોરોના વાયરસના ભારતમાં વધી રહેલા કેસ તેમજ ઈકોનોમી પર પણ પીએમ મોદી જરા બે શબ્દો બોલે.
પ્રિયંકાએ ટ્વિટર પર લખ્યુ હતુ કે, સેન્સેક્સ ગબડ્યો છે.WHO દ્વારા કોરોનાને મહામારી જાહેર કરાઈ છે. લોકોમાં અફરાતફી છે ત્યારે પબ્લિસિટી કરવામાં હોશિયાર વડાપ્રધાનજી જો ચૂંટાયેલી સરકાર પાડવામાંથી સમય મળ્યો હોય તો દેશ માટે જરુરી બાબતો પર પણ વાત કરે.
કોંગ્રેસ પ્રવક્તા સૂરજેવાલાએ કહ્યુ હતુ કે, આઝાદી બાદ શેરબજારમાં રોકાણકારો માટે સૌથી ખરાબ દિવસ છે.એક દિવસમાં 11 લાખ કરોડ રુપિયાનુ નુકસાન થયુ છે.આ સામાન્ય માણસનો પૈસો છે.ભારતમાં ઈકોનોમીને કોરોના વાયરસ થઈ ગયો છે.
सेंसेक्स धड़ाम से गिर चुका है। WHO ने कोरोना वायरस को महामारी करार दिया है। लोगों में अफरातफरी मची है।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) March 12, 2020
PR स्टंट में कुशल प्रधानमन्त्रीजी को अगर चुनी हुई सरकार गिराने से फुर्सत मिल गई हो तो देश के लिए जरूरी इस विषय पर भी बोल दें।#CoronavirusPandemic https://t.co/Al0trmxYmR