For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પાટનગર દિલ્હીમાં સતત ત્રીજા દિવસે આગની ઘટના

-આર્ચિઝની ફેક્ટરી બળીને રાખ થઇ ગઇ

-વીસ લાયબંબા આગ બુઝાવવા મથી રહ્યા હતા

Updated: Feb 14th, 2019

નવી દિલ્હી તા.14 ફેબ્રુઆરી 2019 ગુરૂવાર,

ગીફ્ટ આર્ટિકલ્સ માટે પ્રખ્યાત એવી આર્ચિઝની ફેક્ટરીમાં આજે સવારે લાગેલી ભીષણ આગમાં હજારો ગિફ્ટ આર્ટિકલ્સ બળી ગયા હોવાની માહિતી મળી હતી.

સવારે પોણા બાર વાગ્યે આ લખાતું હતું ત્યારે વીસ લાયબંબા આગ બુઝાવવાના પ્રયાસો કરી રહ્યા હતા. છેલ્લા ત્રણ દિવસમાં પાટનગરમાં લાગેલી આ ત્રીજી આગ છે.

જો કે પોલીસે કોઇ ભાંગફોડ કે કાવતરાની શંકાને રદિયો આપ્યો હતો. ફાયર બ્રિગેડે જણાવ્યા મુજબ આજે સવારે સાતને દસ મિનિટે અમને આગ લાગી હોવાનો ફોન કોલ મળ્યો હતો.

અત્યાર અગાઉ મંગળવારે રાત્રે કારોલબાગ વિસ્તારમાં અર્પિત પેલેસ હૉટલમાં આગ લાગી હતી અને બુધવારે પશ્ચિમપુરાની ઝૂંપડપટ્ટીમાં આગ લાગી હતી જેને કારણે અઢીસોથી વધુ ઝૂંપડાં બળીને રાખ થઇ ગયાં હતાં.


--------------

Gujarat